તારે શું મનુજથી નાતો?
તું રહેતો આવતો જાતો.
સમંદર તારે શું કરવી છે એનાથી વાતો?
તારે કિનારાથી વળગણ,
જાણે કે એનાથી ગળપણ.
ધરા દેખીને કેવો રે તું રખેને હરખાતો?
ઊછળી ઊછળીને તું આવે,
તને માનુષથી બહુધા ફાવે.
ઘૂઘવાટ કરીને શકેને તું ગીતડાં ગાતો.
કિનારે આવીને તું વિરમે,
ઉત્તંગ તારાં ત્યાં તો શમે.
તારા જલ પરથી અનિલ મધુરો વાતો.
-ચૈતન્ય જોષી ' દીપક' પોરબંદર.