શબ્દની ઢાલમાં અર્થ છૂપાયા કરે.
વાણીમાં આવતાં એ દેખાયા કરે.
આરોહ,અવરોહ બળ આપનારા,
એમાં ભાવ ભળતાં પરખાયા કરે.
લપાઈ જાય દેહભાષાની ઓથમાં,
નિ:શબ્દ લાગણી ઊભરાયા કરે.
સંધિસમાસે વિશેષ બળવત્તર બની,
અર્થની ભારોભાર છલકાયા કરે.
શબ્દ સંયોજને વાક્યથી કંડિકાને,
વર્ણન પામવા કલમે કંડારાયા કરે.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.