કાઢે, પણ કંઈ આવાં કાઢે?
ગઝલોમાં જે ગાંડાં કાઢે!
ભૂલથી પણ જો ભૂલ બતાવો,
કેવાં કેવાં બહાનાં કાઢે!
જાણે પણ એ માને તો નહિ,
ભૂલને ઢાંકવા રસ્તા કાઢે!
ખુદને સાચા સાબિત કરવા,
અન્યોમાં પણ વાંધા કાઢે!
અહમ્ ઘવાશે એવા ભયથી,
સૂચન સૌનાં પાછાં કાઢે!
એમ ભણાવે સૌને, જાણે
બાવો દોરાધાગા કાઢે!
– સંદીપ પૂજારા