Gujarati Quote in Book-Review by Gautam Patel

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઑપરેશન બ્લુસ્ટાર

ઇન્દિરા ગાંધીએ જૂન, ૧૯૭૫માં
ઠોકી બેસાડેલી ઇમરજન્સી પછી માર્ચ, ૧૯૭૭ દરમ્યાનની
ચૂંટણી વખતે પ્રજાજનોએ તેમને લોકશાહી પર
બુલડોઝર ફેરવ્યા બદલ પાઠ ભણાવ્યો. ઇન્દિરાના
કોંગ્રેસ૨ાજને ફગાવી દીધું. મોરારજી દેસાઇનો
જનતા પક્ષ સત્તા પર આવ્યો. પાપડી ભેગી
ઇયળો પણ બફાઇ જાય તેમ ઘણાં ખરાં
રાજ્યોમાં પણ કોંગ્રેસ સરકારો પડી ભાંગી.
એક રાજ્ય પંજાબ હતું. પંજાબના
કોંગ્રેસી મુખ્ય પ્રધાન ઝૈલસિંહે બેવડો મા૨
વેઠ્યો. ચૂંટણીમાં તેઓ હાર્યા અને બરાબર એ
જ વખતે ગુરદિપાલસિંહ તપાસપંચે તેમને મુખ્ય
પ્રધાન તરીકેના કાર્યકાળ બદલ ગે૨૨ીતિઓ ચલાવ્યાના
મુદ્દે કસૂરવાર ઠરાવ્યા. પંચના અહેવાલ મુજબ સત્તાનો
દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હતો

એપ્રિલ ૧૩, ૧૯૭૮નો વૈશાખી
દિવસ પંજાબની તવારીખને અરાજકતા
તરફ પછી અલગતાવાદ તરફ અને સમય
જતાં આતંકવાદ તરફ મોડ આપવાનો
હતો. નિરંકા૨ી પંથના લોકોએ તે દિવસે
અમૃતસરમાં સરઘસ કાઢ્યું. બૈસાખીનો
ઉત્સવ તેઓ પણ મનાવી રહ્યા હતા.
ઇશ્વરને નિરાકાર માનતા અને ગુરુ
નાનકને મહત્ત્વ ન આપતા નિરંકારીઓ પોતાને શીખ તરીકે ઓળખાવતા, પરંતુ ધર્મપરસ્ત રૂઢિગત શીખ સમાજ તેમને શીખ ગણતો ન હતો. પાકિસ્તાનમાં વસતા અહમદિયા લોકો જેવી તેમની સ્થિતિ હતી. અહમદિયાઓ ઇસ્લામને જ અનુસરે,
છતાં પાકિસ્તાનનો બહુમતી સુન્ની મુસ્લિમ વર્ગ તેમને મુસ્લિમ ગણે નહિ.
નિરંકારી ‘શીખોએ’ અમૃતસરમાં સરઘસ કાઢ્યું તેના
થોડા કલાકો બાદ ગુરુ નાનકના અનુચર શીખો વિફર્યા. બે
પક્ષો વચ્ચે રમખાણ જામ્યું
અને તે લોહિયાળ નીવડ્યું.
હિંસાખોરીએ ૧૬ શીખોનો
ભોગ લીધો.
https://www.facebook.com/share/p/VBuhntCvh3gguudX/?mibextid=oFDknk

Gujarati Book-Review by Gautam Patel : 111949839
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now