મિત્રો હું 19 વર્ષ ની હતી ત્યાર થી, 2011 થી નિયમિત રામાયણ વાંચું છું.
કોઈ ધર્મનું કામ કરતું હોય તો પણ અમુક મૂર્ખ લોકોને અદેખાઈ આવતી હોય છે. એક બેન મને કહે રામાયણ વાંચીએ ને તો પાગલ થઈ જઈએ. એ બેન ને ખબર નહોતી કે હું દસ વર્ષથી રામાયણ વાંચું છું. એ બેન ને એમ કે આજકાલથી વાંચવા નવું નવું શીખ્યા હશે હું કહીશ એટલે ડરથી બંધ કરી નાખશે. આવી પબ્લિક છે દુનિયામાં પોતે તો ના વાંચે બીજું વાંચતો હોય એને ડરાવે. હૂ તો દસ વર્ષથી વાંચતી હતી એટલે વાંધો ના આવ્યો પણ કોઈએ નવું ચાલુ કર્યું વાંચવાનું તો એ તો ડરના કારણે બંધ કરી નાખે ને. મિત્રો હું મારા મમ્મી પપ્પા સાથે દુકાનમાં ધાર્મિક ગ્રંથો લેવા જતી, ત્યારે દુકાનદાર ભાઈ કહેતા કે બાપુ તમે ભાગીશાળી છો કે તમારી દીકરી 19 વર્ષ ની ઉંમરમાં રામાયણ જેવા ધાર્મિક ગ્રંથો વાંચે છે બાકી આ ઉંમરની અમુક દીકરીઓ એવું સાહિત્ય લેવા આવે છે કે અમને દેતા શરમ આવે છે. મારી પાસે તુલસીકૃત રામાયણ, મહાભારત,શિવ મહાપુરાણ, ગણેશપુરાણ
, શ્રીમદ ભાગવત પુરાણ, વિદુર નીતિ, ચાણક્ય નીતિ, વાલ્મિકી રામાયણ છે.મને ધાર્મિક ગ્રંથ વાંચવાનો બહુ જ શોખ છે.
લી. "આર્ય "