રામનામની લગની લાગી,
મોહ, માયા, મમતા ત્યાગી.
અંતર્યામી અંતરે વસતા,
જનેજનમાં એ પરખાતા,
હું તો કેવળ રામ અનુરાગી...1
સર્વસ્વ મારે સીતાપતિને,
સ્મરણે રહેતી સદા મતિને,
અજ્ઞાન તમસ થકી હું જાગી...2
અઢળક સંપદા નામ તમારું,
હરિવર નિશદિન એવું વિચારું,
ઝંખના રઘુવીર નામની લાગી...3
અંતર અંતરથી અંતર ઘટતું,
સહજ મુખેથી નામ નીકળતું,
રહી નિતનિત દરશન માગી.. .4
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.