"સંબંધોમાં સમજ કબીર અને
તેમના પત્ની જેવી હોવી જોઈએ"
કબીર ને ઘરે એક ભાઈ લગ્ન કરવા માટે સલાહ લેવા આવ્યા. કબીર ને કહે મારે લગ્ન કરવા છે, સલાહ આપશો. કે લગ્ન કરવા કે નહીં તો કબીર કંઈ બોલ્યા નહીં.
થોડીક વાર થઈ તો એમને પત્નીને કહ્યું દીવો લઇ આવો. એમના પત્ની દીવો મૂકીને જતા રહ્યા.
થોડીવાર પછી કબીરે કહ્યું આ દિવો પાછો લઈ જાવ. કબીરના પત્ની દિવો પાછો લઈને જતા રહ્યા.
એટલે જે સલાહ લેવા આવ્યા હતા. એ ભાઈ થી ન રહેવાય એટલે કબીર ને કહ્યું.
"તમે આ ખરા બપોરે દીવો કેમ મંગાવ્યો"
એટલે કબીર તે ભાઈને કહ્યું.
" કે આ પ્રશ્ન તમે પૂછે પણ મારી પત્નીએ પૂછ્યું. તો પહેલા ભાઈ કહે ના. ત્યારે કબીર સાહેબે કહ્યું.
" આના જેવી મળે ને તો કરી લેવાય લગ્ન નકર ન કરાય "
લી. ચૌહાણ સુરજબા "આર્ય "
#Relationship