લક્ષ્મી સ્થિર નથી,
કર્મ કોઈને છોડતું નથી,
શંકાનું સમાધાન નથી,
વહેમ નો ઈલાજ નથી,
સત્ય કોઈને ગમતું નથી,
સમય કોઈનો સગો નથી,
કામની કોઈ જ્ઞાતિ નથી,
આત્માની કોઈ જાતિ નથી,
લોભને થોભ નથી,
ક્રોધને સંયમ નથી,
ઇન્સાનને શાંતિ નથી,
દુઃખ વેચી શકાતું નથી,
સુખ ખરીદી શકાતું નથી,
સાચો પ્રેમ કોઈને મળતું નથી,
કલિયુગમાં ઈશ્વરથી કોઈ ડરતું નથી,
સંસ્કાર ને સાચવતા નથી,
બેઈમાની ને છોડતા નથી,
અમૃત કોઈને પચતું નથી,
ધર્મ કોઈને કરવું નથી,
સત્યના રસ્તે જવું નથી,
સત્કર્મ કરવું ગમતું નથી,
લી. ચૌહાણ સુરજબા "આર્ય " મુન્દ્રા (કચ્છ )