વિનાશકાળે વિપરીત બુદ્ધિ"
આ પંક્તિ ને હવે bjp સાર્થક કરવા જઈ રહી છે. પાંડવોએ દુર્યોધન પાસે પોતાના હક નું માગ્યું તું ત્યારે દુર્યોધનને કહ્યુ માધવ દેવકી નંદન હું સોય ની અણી ઉપર રહે એટલી પણ જમીન આપવા માંગતો નથી.
કારણ સત્તાનાં મદમાં અધળા થઈ ગયા હતા કૌરવો. હવે bjp સત્તા નાં મોહમા આધળી થઈ ગઈ છે. ત્યારે પણ વાત સ્ત્રીઓ નાં અવમાન ની હતી આજે પણ વાત સ્ત્રીઓ નાં સ્વમાન ની છે.
દ્રૌપદીનાં ચીર હરણ વખતે ભીષ્મ, ગુરૂ દ્રોણ વગેરે મહાનુભાવો ચૂપ હતા. અત્યરે પણ યોગી, રાજનાથ સિંહ, સુધાશું ત્રિવેદી, ભાજપના ચાણક્ય અમિત શાહ, મોદી સાહિબ પણ ધૂતરાષ્ટ્ર ની જેમ ચૂપ છે.
આજે ભાજપ ધૂતરાષ્ટ્ર ની જેમ સત્તા ની લાલચ માં આંધળું થઈ ગયું છે. એને રૂપાલાની ભૂલ દેખાતી નથી. અને રૂપાલાની ટિકિટ રદ કરવા નથી માગતું.
ત્યારે હથિયારો દ્વારા થયું હતું આ વખતે વૉટ દ્વારા થશે ફક્ત ગુજરાતમાં જ નહિ સંપૂર્ણ ભારતમાં પરિણામ જોવા મળશે.
"ભાજપ વિરુદ્ધ મતદાન એજ અમારું સ્વભિમાન"
"સત્યમેવ જયતે"
ચૌહાણ સુરજબા "આર્ય " મુન્દ્રા (કચ્છ )