મૌન અને ચૂપ રેહવું બન્નેમાં જમીન આસમાન નો ફરક છે...
મૌન એટલે...
મન નો અંત એટલેકે વિચારોનો અંત અથવા મન પર વિજય મળી જાય એ મૌન...!!!
ચૂપ રેહવું એટલે...
જયારે કોઈ સમજે નહીં એમ લાગે
યા તમારે ઘણું કેહવું હોય પણ જેને કેહવું હોય એ સાંભળે નહીં
અને ક્યારેક તમે કોઈ ને દુઃખ લાગશે તો એ ભાવ થી ખુલી ને બોલી જ ના શકો...
બસ એજ વિચારો નું ખૂન કરવું એટલે ચૂપ રેહવું....
જીવતી લાશ બની જવાય ચૂપ રહેવાથી, ડિપ્રેશન આવે...
મહેરબાની કરી ક્યારેય ચૂપ ન રેહવું...
મૌન એ મૉક્ષની નજીક લઇ જાય (જાતે જ સ્વીકારેલું સ્વીકાર્ય છે )
ચૂપ રહેવું એટલેકે મન મારવું (ફરજીયાત કે મજબૂરીમાં શબ્દો નું ખૂન)...
એક મન પર વિજય બીજું મનની હાર...!!!