લેખક: રવિ લખતરિયા (પ્રજાપતિ)
શીષૅક: એક ગામથી બીજે ગામ
કે એક ગામથી બીજે ગામ જવાનું છે
ગામ એક જીવનનું ને બીજું મૃત્યુનું છે
માગૅ એક જ છે તો શું મળે ને ખુશ થવાનું છે
ને શું જાય તે દુઃખના સાગરમાં પડવાનુ છે
મળવું ને જવું એ આપણા હાથમાં નથી
એ સત્ય જ સમજવાનું છે
તો શા શોક કરવાનું ને શા ઉત્સાહમાં આવવાનું છે
માગૅ છે કોઇ સાથીદાર મળશે
ને તેનું ગામ આવ્યે ચાલ્યું જવાનું છે
તો શા નસીબના માથે રડવાનું છે
કરમ ભાથું લઇ મંડી પડવાનું છે