કોણ કહે છે કે અહીં ખાતામાં ભ્રષ્ટાચાર થાય છે,
ખાલી પાંચ જ રૂપિયામાંથી, રૂપિયા ચાર ખવાય છે.
માપણી વસુંધરાની કરવા પૈસા ની રેલમછેલમ હોઈ,
જો કોઈ લખે નદી ભ્રષ્ટાચારની એ સસ્પેન્ડ થાય છે.
આખલાઓ ને ખુલ્લી છૂટ મળી છે એને ચરવા દેજો,
કથિત ગૌભક્તો બન્યા જે એ જ તો ગૌચર ખાઈ છે.
કેટલી નાજુક સ્થિતિ હશે કે સ્વીકાર કરે અમલદાર,
પેલા ભક્તગણોને તો બસ હિન્દૂ રાષ્ટ્ર જ દેખાય છે.
એવું નથી કે પત્તાવાળો પાંચ માંગે અમલદાર પચ્ચીસ,
રૂપિયો છે આ પ્રજાનો નીચે થી ઉપર સુધી ખવાય છે.
ગિધો કહે છે સભામાં હંસો માંસાહાર હવે નહિ કરે,
અને મનોજ રાકતરંજીત દાંત મને ગિધોના દેખાય છે.
મનોજ સંતોકી માનસ