ખીણે શિખરથી ઝાઝા પાણી વધુ ગયા છે,
લોકો અમોને ખુદથી જાણી વધુ ગયા છે.

આ તો થયા હજુ છે ઓછા મિલન તમારા,
સ્મરણો અમોને જળથી તાણી વધુ ગયા છે.

દુધમાં પડેલ માખી જેવું જીવન અમારૂં,
દિવસોય ધૂળ ને હા ધાણી વધુ ગયા છે.

મહેમાન મુખ ગાતા ગુણગાન મારી મા'નાં,
આંગણને આભથી પણ માણી વધુ ગયા છે.

જેસલ જે ઝળહળે છે કારણ છે માત્ર એક જ,
ભવ તારવાને તોળી રાણી વધુ ગયા છે.

- માવજી એમ આહીર

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111847836

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now