Gujarati Quote in Religious by Krupa Thakkar #krupathakkar

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રેમીઓના આનંદની પરાકાષ્ઠા.
શ્રીકૃષ્ણ ના જન્મદિવસને જન્માષ્ટમી તહેવારના રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમ કૃષ્ણ પક્ષ‌‌ તિથિ...
કૃષ્ણ એટલે પ્રકૃતિ નો દેવ,આંખે દીઠ્યો શૃંગાર,
કૃષ્ણ એટલે હૃદય માં ઉમડતા જમના ના નીર...


ઈશ્વરનું પ્રાગટ્ય એટલે મહોત્સવ...
ઇશ્વર નું સૌંદર્ય એ આંખનો ઉત્સવ...
ઐશ્વર્ય સંતોષ એ આનંદનો ઉત્સવ...
ધ્યાન અને પ્રેમ એ અંતઃકરણનો ઉત્સવ...
ભગવાન સાથે સંબંધ બાંધી શકે છે તે ઉત્તમ સાધક કે ઉત્તમ વ્રતધારી છે.
આ સંબંધના ચાર ભાગ છે: દાસ ભાવ, વાત્સલ્ય ભાવ, મિત્ર ભાવ અને પ્રિયા-પ્રિયતમનો સંબંધ.
કરુણાનિધાન ભગવાન શ્રી કૃષ્ણ જીવનને અનુકૂળ બની જાય છે, આ એમની અસીમ કરુણા છે, કૃપા છે.
જેલ માં જન્મ…
ગોકુળ માં બાળપણ….
વ્રજ માં રાસલીલાં…..
હસ્તિનાપુર માં રાજનીતિ…
મથુરામાં શાસન …
એવા હતા શ્રી કૃષ્ણ….
ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી
સૌ ની જિંદગીની દરેક પળ સુખમયી
બની રહે એવી જન્માષ્ટમી
ની હાર્દિક શુભકામના....

જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

Gujarati Religious by Krupa Thakkar #krupathakkar : 111826498
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now