આઈના માં એ પોતાના વાળ ને સંવારી રહી હતી. પોતાના ચહેરા ને જોતા જ એક સાહજિક હાસ્ય થી એ મલકી પડી . 60 ની ઉમર એ પાર કરી ચુકી હતી પણ એનો ચહેરો હજી એની ઉમર ની ચાડી ખાતો ના હતો. એ એને ડીએનએ માં મળેલી ભેટ છે એને વિચાર્યું. ડીએનએ જેને ગાંડુ લોકો એ હાઈ બ્રીડ કહી ને સોશ્યિલ મીડિયા માં અપમાન કરેલું છે. એની માઁ નું અપમાન કર્યું છે કારણ એ જન્મે હિંન્દુ ના હતી . એ માઁ જેને એને ફક્ત હિન્દૂ ધર્મ જ નહિ દુનિયા ના દરેક ધર્મ ને માન આપવાનું શીખવ્યું છે. દુનિયા ની કોઈ વાત એના ઈમાન ને ખરીદે શકે એવી શક્તિમાન નથી કારણ એની જરૂરિયાત જ બહુ ઓછી છે એમ કહેવા કરતા એ કહેવું બહેતર હશે એને દુન્યવી કોઈ બાબત માં રસ જ નથી. એટલે જ એ સામાન્ય લોકો કરતા અલગ હતી. એની પાસે કુશાગ્ર બુધ્ધિ તો છે પણ દુનિયાદારી એ શીખી જ ના હતી. આવનારા કાળ ને એ જાણતી હતી એમ કહો ઈશ્વર સાથે એની મિત્રતા હતી . બધું સમાપ્ત કરી નાખશે એ કાળ એ જાણતી હતી . કાળ ના વિચારે એ હચમચી ગયી છતાં કાળ નું વિકરાળ રૂપ એને જોવું હતું . કુદરત ની લીલા એને જોવી હતી જે બધું દુષ્ટ , ખરાબ નષ્ટ કરી ને ફરી થી નવસર્જન સારું કરવા માંગે છે એ વાત થી એ સહમત હતી . દેશ , સમાજ , ધર્મ ના નામે થયી ગયેલો સડો જોઈને એને રીત સર ના ઉબકાઓ આવતા હતા .
એને મન ને સમજવાની કોશિશ કરી . જે કઈ થશે એ કુદરત ની ઈચ્છા થી જ થશે . જે બચશે એ પણ કુદરત ની ઈચ્છા થી જ બચશે તો પછી નાહક ની ચિંતા શા માટે કરવી ?
એ લોકો જેમને મને હાઈ બ્રીડ કહી ને મારી નિર્દોષ માતા નું અપમાન કર્યું છે એવા ગાંડુઓ જીવે કે મરે એમાં મને શું ફરક પડે છે ? મારી જવાબદારી ફક્ત મારા કુટુંબ ના લોકો સુધી જ મર્યાદિત છે એ પણ ઈશ્વર ની મરજી મુજબ જ . બહુ વિચારી ને કોઈ અર્થ જ નથી .
સૂકા ભેગું ક્યારેક લીલું પણ બળે જ છે એ આપણે સૌ જાણીએ છીએ છતાં કશું આપણા હાથ માં નથી . આપણા હાથ માં છે તો એક જ વાત આપણા પોતાના કર્મો કારણ એ સંપૂર્ણ માનસિક , વાચિક ને વાસ્તવ માં પરિમતા પોતાના કર્મો ની જવાબદારી સૌ ની પોતાની છે . ધર્મ કોઈ પણ હોય , વ્યક્તિ નાસ્તિક , આસ્તિક કોઈ પણ હોય.
હર્ષા ત્રિવેદી