ભારતે વિશ્વગુરુ બનવું હોય તો શું કરવું જોઈએ, તે ફિનલેન્ડ શીખવે છે !
18 માર્ચ 2022 ના રોજ, World Happiness Report 2022 જાહેર થયો છે. દુનિયાના ખુશહાલ દેશોમાં, ભારતનું સ્થાન 136 ઉપર છે ! ગયા વર્ષે ભારતનું સ્થાન 139 ઉપર હતું. નંબર-1 ઉપર ફિનલેન્ડ છે. તે પછી ડેનમાર્ક/આઈસલેન્ડ/સ્વિટઝરલેન્ડ/નેધરલેન્ડ આવે છે. પાડોશી બંગલાદેશ 94માં અને પાકિસ્તા 121માં સ્થાને છે ! US 16 માં અને UK 17 માં સ્થાને છે. સૌથી ખરાબ હાલત અફઘાનિસ્તાનની છે. રશિયા 80માં અને યુક્રેન 98માં સ્થાને છે. UN દ્વારા આ અહેવાલ પ્રગટ થાય છે. આ રીપોર્ટ માટે 150 દેશોમાં; વ્યક્તિદીઠ વાસ્તવિક GDP/સામાજિક સમર્થન/સ્વસ્થ જીવન/સ્વતંત્રતા/ઉદારતા/ભ્રષ્ટાચારનું ઓછું પ્રમાણ વગેરે બાબતો ધ્યાને લેવાય છે.
ફિનલેન્ડ શામાટે નંબર-1 પર છે? [1] સૌને સમાન ભાવથી દેવામાં આવે છે. ભેદભાવ નથી. સમાન તકો. [2] સરકારી સુવિધાઓ પ્રાપ્ત કરવામાં વ્યક્તિનો સામાજિક કે આર્થિક દરજ્જો ધ્યાને લેવાતો નથી. [3] આ દેશમાં કોઈ ઘર વિનાના નથી ! ઉચ્ચ જીવન સ્તર. [4] સૌને/ગરીબોને પણ સર્વોત્તમ શિક્ષણ અને આરોગ્ય સવલતો કોઈપણ ફી વિના મળે છે. જેનાથી સંતૃષ્ટિ સ્તર ઊંચો રહે છે. [5] કુદરતી સૌંદર્ય/ગાઢ જંગલો/સાફ-સ્વચ્છ નદીઓ/પ્રદૂષણ મુક્ત વાતાવરણ.રહેવા માટે ઉત્તમ. પ્રકૃતિ વચ્ચે માણસ ખુશ રહે છે.[6] ખુશહાલી સ્તર ઊંચો હોવાથી ક્રાઈમને દર નીચો રહે છે. ઓછું ક્રાઈમ, લોકો સુરક્ષિત છે. [7] રોજગાર લક્ષી શિક્ષણ, જેથી યુવાનો વિકાસ કરી શકે, ખુશ રહી શકે. રોજગારના વધુ અવસર મળે છે. [8] માભાગના મધ્યમ વર્ગના લોકો છે, ગરીબી સાવ ઓછી છે. અમીરો પોતાની સંપત્તિનો દેખાડો કરતા શરમાય છે. [9] 9 ધોરણ સુધીનું શિક્ષણ ફરજિયાત. [10] દર 4 વ્યક્તિએ 1 વ્યક્તિ કોઈ ધર્મ સાથે જોડાયેલ નથી ! ધાર્મિક નશાનો અભાવ. કટ્ટરતાનો અભાવ. લોકો ઉદાર અને માનવવાદી.
વિશ્વગુરુના સૂત્રો/ધાર્મિક સૂત્રો પોકારવાથી દેશ ઊંચો ન આવે ! દેખાડો કરવાથી વિકાસ થઈ જતો નથી કે લોકો ખુશ થઈ જતા નથી ! ધર્મનો નશો કટ્ટરતા તરફ/વિનાશ તરફ દોરી જાય છે ! ભારતે વિશ્વગુરુ બનવું હોય તો શું કરવું જોઈએ, તે ફિનલેન્ડ શીખવે છે !
-મહેશ ઠાકર