આતમ ની કરી અવગણના, થઈ ઘટનાઓની ખોટી વણઝાર, હૈયે હેત પડી ભાંગ્યુ, ને થયો હું જાણે નિરાધાર.... (૧)
હવે કોણ ગણશે શિષ્ટાચારી મને, ને કોન દેશે મીઠો આવકાર, આતમ સૂણે ના કોઈની, પણ મન છે મોટો કથાકાર.... (૨)
આતમ ને થઈ પીડા અનેરી, મનને ભાવે શિષ્ટાચાર, બંને એ ઉગામયાં શસ્ત્રો સામસામે, હવે નથી આમાં ભલીવાર.... (૩)
જગ કહે બન માનવ અનેરો, દૃવનદ થયાં અપરંપાર, સાચી પ઼ીત ન કરે અબ કોઈ, જો અવગણીએ આતમ આર.... (૪)
હવે શકય નથી આતમ ની સાતા, બનું હવે મનનો આભાસી કથાકાર, મોકો આપીશ આતમ ને આવતા ભવે, ફરી ધારણા કરી મનખા અવતાર.... (૫)
-Dr. Brijesh Mungra