અપરિપક્વ ઉંમરમાં ઓચિંતો અકસ્માત અથવા ભયંકર મૃત્યુ, જે પૃથ્વી પરના ટૂંકા ગાળાનું અસ્તિત્વ જેને જીવન કહીએ છીએ તેનો દોર કાપી નાખે, તે ખાસ કરીને દુ:ખદાયક અને કમનસીબ લાગે છે. પરંતુ જે વ્યક્તિ બાહ્ય દેખાવથી પર થઈ જાય છે તે જાણે છે કે આત્માની પ્રગતિમાં જે કાંઈ વસ્તુ બને છે તેનો કોઈક અર્થ, કોઈક જરૂરિયાત હોય છે. તે વ્યક્તિ જાણે છે કે દિવ્ય નિયતિમાં જે કાંઈ બને છે તે ઉત્તમ માટે જ હોય છે, પછી ભલે તે મનને ભિન્ન રીતનું લાગતું હોય.