એકલુ અને અલગ ....
અત્યાર ની યુવાપેઢી પોતાની એકલતા નો આનંદ લેવાની તો વાત દુર પણ એમા ને એમા હુ કાઇક અલગ છુ મતલબ કે કાઇક સ્પેશિયલ છુ એવો ભાવ અને વ્યવહાર કરવામા વધારે ધ્યાન આપે છે .
હવે પોતાની આ અલગતા ની સ્પેશિયાલાટી ને સાબિત કરવા અને જાળવવા ઘણા એવા ખોટા કામ પણ કરવામા શરમ કે નાનપ અનુભવતા નથી. કેમકે ખોટા કામ કરવામા વહેલી પબ્લિસિટી મળે છે.પુરુષ મુળે થી જ આક્રમક હોય પોતાનુ અહં સાચવવામા મશગુલ રહે છે .
સુરત , અમદાવાદ જેવા ઘણા શહેરો મા જોઈએ તો હત્યારો મુળે અક્ષિશિત હોય છે , માટે તેમનામા પહેલેથી જ લઘુતાગ્રંથિ ની પીડાતો હોય છે માટે વહેલા પ્રસિદ્ધ થવા માટે ખોટા રસ્તે ચડી જાય તો નવાઈ ન કેવાય.
ગુસ્સો , એકલતા આ પેઢીને ગળથુથી મા જ જાણે મળી જાય છે . આનો માત્ર એક જ રસ્તો છે ....વાચન .
ઓશો , મેઘાણી , પ્રેમચંદ , ઉપનિષદ વગેરે ને વાગોળવાથી જ આજની પેઢી સાચા રસ્તે વળશે એવુ મારુ માનવુ છે.