Gujarati Quote in Microfiction by Kishu

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક વખત એક પ્રાણીવિદ માણસ કેટલાક યુવાનોને સાથે લઇને જંગલમાં ફરવા માટે નિકળ્યો..
જંગલમાં વસતા જુદા જુદા પ્રાણીઓનો યુવાનોને એ ભાઇ પરિચય કરાવતા હતા.
એક જગ્યાએ વાંદરાઓનું મોટુ ટોળુ હતુ અને ધમાચકડી કરતુ હતું.
એક ડાળથી બીજી ડાળ પર કુદી રહેલા આ વાંદરાઓને પેલા યુવાનો જોઇ રહ્યા હતા. કુદાકુદી કરી રહેલા એક વાંદરાને ઝાડની સુકાયેલી ડાળી વાગી અને ઉંડો ઘા પડયો.
ઘા માંથી લોહી વહેવાનું શરુ થયું.
વાંદરો કુદકા મારતો મારતો ટોળાથી દુર જતો રહ્યો અને સાવ એકલો બેસી ગયો.
યુવાનોએ આ દ્ર્શ્ય જોયુ એટલે એ પેલા પ્રાણીવિદને પુછ્યા વગર ન રહી શક્યા કે આ વાંદરાને ઘા પડ્યો તો એ ટોળાથી દુર કેમ જતો રહ્યો ?
પ્રાણીવિદે યુવાનોને સમજાવતા કહ્યુ , " વાંદરાઓની એક લાક્ષણિકતા છે કે જ્યારે કોઇને વાગે તો બધા જ વાંદરા એની ખબર કાઢવા આવે.
જ્યારે ખબર કાઢવા આવે ત્યારે એ શાંતિથી બેસી ના રહે પણ જે વાંદરાને વાગ્યુ હોય એનો ઘા પહોળો કરીને કેટલુ વાગ્યુ છે એ જુવે અને પરિણામે ઘા મોટો થાય.
ઘા ઋઝાવાને બદલે વધુ વકરે અને ખુબ પીડા થાય.
આથી જ જ્યારે કોઇ વાંદરાને વાગે તો એ તુરંત જ ટોળાથી જુદો જતો રહે જેથી કોઇ એના ઘા ને પહોળો ન કરે અને ઘા ઝડપથી ઋઝાય જાય. "
મિત્રો , આપણે સૌ આ વાનરોના જ વારસદારો છીએ અને એટલે જ આપણા બાપ દાદાના એ લક્ષણો આપણામાં પણ આવ્યા છે.
હૈયા પર ઘા વાગે ત્યારે થોડો સમય માટે એકલા થઇ જવુ [like me] નહીતર લોકો એ ઘા ને જોવાના બહાને વધુ પહોળો કરશે અને એની પીડા આપણે જ ભોગવવી પડશે...

cp

Gujarati Microfiction by Kishu : 111778623
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now