માઈક્રોફિક્શન:
*વાસ્તુશાસ્ત્ર*
ઘરમાં વાસ્તુશાસ્ત્રી આવ્યા હતા,
આ જગ્યા એ આ લગાવો, આ જગ્યા એ તાંબાનો તાર મારવો પડશે,
ઉપર આ ફોટો લગાવો,
એવી બધી સૂચના આપતા હતા,
અને છેલ્લે જતાં જતાં કહ્યું કે ઘરમાં જે નકામી ચીજ વસ્તુઓ હોય તેનો નિકાલ કરી જ દેજો તો જ ઘરમાં સુખશાંતિ અને સમૃદ્ધિ આવશે,
અને આવું સાંભળી ઘરડા પતિ પત્ની ની લાચારીભરી નજર એકબીજા પર ગઈ.....
.
.
.
.
.
જતીન ભટ્ટ ( નિજ)
94268 61995
yashhealthservices@yahoo.com