Gujarati Quote in Poem by Umakant

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્રી રંતિદેવની કલમે થી....✍️

વસંતને પ્રારંભે રચાયેલી પંક્તિઓ

સુણી મેં સહસ્ર સુગુંફિત સૂરાવલી
હતો પ્રસ્થિત જ્યારે હું ચેનથી ઉપવનમાં,
એ મનભાવન મનોભાવમાં જ્યારે આમંત્રે તે
વિષણ્ણ ખ્યાલ , ચિત્તતંત્રમાં.

સંયોજયા છે જ્યારે પ્રકૃતિએ
નિજ ચારુ સર્જનોને
માનુષી ચેતના સંગે ,
છે કાર્યરત મુજ થકી , ત્યારે ,
થઈ ગ્લાનિ મને અસીમ
વિચારતાં કે
કરી દીધી છે કેવી અવદશા
માનવીએ ' માનવ'ની !

પ્રિમરોઝના ઝૂમખા થકી ,
તે મનોહર લતાકુંજમાં ,
બારમાસી વેલો , પેરિવિંકલ ,
થયો અનુગમિત પુષ્પ ગુચ્છનો;
છે વિશ્વાસ મને કે
માણે છે તે પુષ્પ હરેક
એ સમીરણને ,
શ્વસે છે જેને તે.

મારી આસપાસમાં ,
વિહંગોએ ,
કરી ઉડાઉડ અને રમત .
કરી શકું ના ખ્યાલ હું
તેમનું મુલ્યાંકન કરવાનો ,
પણ ,
કરી હલચલ જે તેમણે ,
આવ્યો ખ્યાલ મને
તેમની મોજમસ્તીના રોમાંચનો .

ફેલાવે છે વિકસિત થતી ડાળીઓ નિજ પર્ણોને
કરવા સંપ્રાપ્તિ પ્રફુલ્લિત અનિલને ;
અને મારે રહ્યું વિચારવું ,
વિચારી શકું એટલું કે
હતો પરિતોષ , પ્રવર્તીત ત્યાં ખરે !

ખ્યાલ આ જો
થાય પ્રેષિત દેવભૂમિથી , તો ,
છે ના શું , મારે કાજે ,
નિમિત્ત કોઈ
કરવાને વિલાપ કે,
કરી દીધી છે આ કેવી અવદશા
માનવીએ 'માનવ' ની ?

- રંતિદેવ વિ. ત્રિવેદી ' રવિ '
૩૦ - ૦૬ -૨૦૨૧

નોંધ :આ ભાવાનુવાદ William Wordsworthની રચના
Lines Written in Early Spring આધારિત છે.

Gujarati Poem by Umakant : 111725979
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now