🌸 આપણા અર્ધદગ્ધ બ્રાહ્મણોને સંકૃત ભાષાનું અપુરતું જ્ઞાન હોવાથીઆવા ઘણા અર્થના અનર્થો ઉદ્દભવ્યા છે.એક આવો જ સામાન્ય દાખલો: “સમુદ્રમંથન” કરવાથી ૧૪ રત્નો મળ્યા. પાણીને વલોવવાથી શું મળે? પશ્ચિમના દેશોના સાહસિકો માર્કોપોલો,વાસ્કોડી ગામા, કોલંબસ વગેરેએ સમુદ્રમંથન કરી-(દરિયો ખેડી) નવી દુનિયાના દેશો શોધ્યા. હજુ આજે પણ આપણે જાગૃત થતા નથી.આફત કે મુશ્કેલીના સમયે ભગવાનને શરણે જઇ પ્રાર્થના કરવા બેસી જઇએ છીેએ.ભગવાન-ઈશ્વર એ “વ્યક્તિ નથી પણ શક્તિ છે.” મહામારી “કોરોના”ની રસી કે અન્ય દવા શોધવાની જરૂર છે.ઈશ્વર એ ઊર્જા-શક્તિ છે, તેનું કોઇ સ્વરૂપ નથી:
“अहम् निर्विकल्पो निराकाररुपो विभु व्याप्त सर्वत्र सर्वेन्द्रियाणाम।।”
ઈશ્વર - ભગવાન છે પણ વ્યક્તિરુપે નહિ પણ શક્તિ રુપે છે. ઊર્જા-શક્તિની અનુભૂતિ થાય, તેનો સાક્ષાત્કાર ન થાય.નરસિંહ, મીરા વગેરેને તેની અનુભૂતિ થઇ હતી, સાક્ષાત્કાર થયો નહોતો. આજે પણ એક ચિત્તે વિચાર, મનન કરવાથી મુશ્કેલ સમયમાં ઉકેલ મળી આવે છે.
મિત્રો, ભગવાન પ્રત્યેની તમારી શ્રધ્ધાને આંચ પહોંચાડવાનો આ પ્રયાસ નથી, આ સમય બુધ્ધિજીવીઓનો છે, માટે બુધ્ધિથી વિચારો, “ઈશ્વર વ્યક્તિ નથી પણ શક્તિ છે.” 🙏