કોરોના પછી આ” તાઉ તે” નામનુ ભારે વાવા ઝોડુ કોરોનાથી સૌથી સંક્રમિત રાજ્ય હતા ત્યાં જ વધુ અસર કર્તા રહ્યુ. હુ માનુ છુ કે આ કુદરતનો એક પછી એક આવતો કેર બિલકુલ નથી. આ સમયબધ્ધ કુદરતે નક્કી કરેલ વિનાશ પછી નવરચનાનો એક ભાગ જ છે. આપણે માનવજાતે પર્યાવરણ કે કુદરતી સંપતિને પોતના સ્વાર્થ માટે ઘમરોળી, જીવમાત્ર આપણા ગુલામ હોય તેમ તેમની હત્યાથી લઈ બધી જાતના અત્યાચાર કર્યા અને કુદરતે અતિ સૂક્ષ્મ જીવના માધ્યમથી આ આપણે કરેલ અન્યાયનો કોરોનાના રુપે ન્યાય કરી આપ્યો પણ એની ય હદ પુરી થતાં જ વેગીલા પવનથી વાયરસને ઘસેડી ઓકસિજન માટે ઘાંઘા થયેલ આપણને શુધ્ધ હવા તથા હવામાં ભળેલ, બધે ચોંટેલ વાયરસને શુધ્ધ પાણી અને જેટ સ્પ્રે જેવી હવાથી સાફ કરવા જ આ વાવાઝોડુ કે વરસાદ કમોસમે મોકલ્યો છે. ભગવાન તમે અને હુ કલ્પીએ તે મુકુટ, મોરપિચ્છ કે સુદર્શન ચક્ર લઈ દર વખતે નથી આવતો. આવા સ્વરુપે પણ કલ્યાણ કરવા આવી શકે છે. આ વાવાઝોડા વરસાદની બે દિવસની પરીસ્થિતી કોરોના મહામારીનો અંત બની રહેશે તેવો મારો આશા વાદ બની રહે તેવી પરમાત્માને પ્રાર્થના.
🙏