👏🌄🌻{ *ઉત્સવ*}
મહાવદ એકાદશી:
*વિજયા એકાદશી*
☘️🍀☘️🍀☘️🍀☘️
🟩🌷⚪💛⚪🌷🟩
આજની એકાદશી ને વિજયા એકાદશી કહેવાય છે.🌍 જગત માં અન્ય ધર્માચાર્યો એ જે જે વસ્તુઓનો નિષેધ કર્યો તે સર્વ વસ્તુઓનો શ્રી મહાપ્રભુજીએ પ્રભુની સેવામાં જોડી સદુપયોગ કર્યો છે. દા. ત. કામ, ક્રોધ, લોભ,મોહ એ માનવના શત્રુઓ છે. તેનો ત્યાગ કરવાનું બધા કહે છે. જ્યારે શ્રીમહાપ્રભુજીએ તેમને પ્રભુની સેવામાં જોડવાની આજ્ઞા કરી, જેથી એ બધા પણ ભગવદીય બને. આ અમૂલ્ય આજ્ઞા ને અનુસરી કેટલાક કૃપાપાત્ર *વલ્લભીય વૈષ્ણવોએ કામ, ક્રોધ, લોભ, મદ ને પ્રભુ સેવામાં વિનિયોગ કરી, એ બધા ઉપર મહા વદ એકાદશીએ વિજય મેળવ્યો* તેથી આજની એકાદશીને વિજયા એકાદશી કહેવાય છે.
*શૃંગાર દર્શન*:💙પીરોજા રંગની🌷કમળના ફૂલના- ચિત્રકામવાળી સુંદર પિછવાઈ ધરી છે.આ ચિત્રકારીવાળી પિછવાઈ માત્ર શૃંગાર સમયે જ આવે છે.ત્યારબાદ ⬜સફેદ સાદી પિછવાઈ આવે છે અને રાજભોગ દર્શન સમયે તેના ઉપર વિવિધ રંગોથી🟣°•°⚪°•°🟡 ખેલ થાય છે.
🎻🥁🎹 કાન્હા ધર્યોરે મુકુટ ખેલે હોરી કાન્હા ધર્યો રે | *ઈતતેં આયે કુંવર કન્હાઈ ઉતતેં આઈ રાધા ગોરી*, કાન્હા ધર્યો રે. કહાં તેરો *હાર કહાં નકવેસર કહાં મોતિયનકી લર તોરી*, કાન્હા ધર્યો રે | *ગોકુલ હાર મથુરા નકવેશર વૃંદાવનમેં લર તોરી કાન્હા ધર્યો રે ||*
સંકલન:✍️ જયદીપ ગઢીઆ. મુંબઈ.
📘: *નિકુંજ નાયક શ્રીનાથજી* એકઝાંખી ગ્રંથ-૬-પુષ્ટિમાર્ગીય પુસ્તક થી વિગત અપાઈ છે.
🌹જય શ્રીકૃષ્ણ 🌹
🐄👏⛳👏🌱👏#રેખા ચિટણીસ