૧૬ જુલાઈ ૧૯૪૫ ના રોજ ન્યુ મેક્સિકોમાં જ્યારે સૌ પ્રથમ વખત ન્યુક્લિયર બોમ્બનું પરીક્ષણ થયું ત્યારે વૈજ્ઞાનીક જે. ઓપન હાઈમર ન્યુક્લિયર બોમ્બ ના ધડાકાને જોઈને ભગવદ્ ગીતાના અગિયારમા અધ્યાયનો બત્રીસમો શ્લોક "कालोऽस्मि लोकक्षयकुत्प्रवृद्धो लोकान् समाहर्तुमिह प्रवृत्तः । ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे येऽवस्थिताः प्रत्यनीकेषु योधाः ॥" ને યાદ કરીને ભગવાન કૃષ્ણએ અર્જુનને કહેલ સંવાદ "હવે હું મૃત્યુ છું, સંસારનો વિનાશ કરનાર" બોલી ઉઠ્યા હતા.
ઉપર જણાવેલા વિવિધ તથ્યો જો આજથી સો વર્ષ પહેલાં જણાવ્યા હોત તો તે કપોળ કલ્પિત વાત જ લાગે. પણ હવે જેમ જેમ મોર્ડન સાયન્સ આગળ વધ્યું છે તેમ આપણે આ વાતને વૈજ્ઞાનિક અભિગમથી સમજતા થયા છીએ. યુવાનોને મોટે ભાગે ધર્મની વાતો ન ગમવા પાછળનું કારણ તેમાં મોટાભાગે ચમત્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ચમત્કારો હકીકતમાં તે સમયના એડવાન્સ લેવલના સાયન્સ અને ટેક્નોલોજી ના પ્રતાપે શક્ય બન્યા હતા. મહાન ભૌતિક વૈજ્ઞાનીક નિલ્સ બોહરે એક વાર કહેલું કે "મને જો કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો તેને ઉકેલવા હું ઉપનિષદોનો સહારો લઉં છું."