રાગ-તાલે રીઝાવે !! A poem 3 by me.
અજ્ઞ આવરણ પળે પરંપરા એ ગવાયો,
તરવરે આ તર્ક ને તર્પણે શા ને છવાયો!
સર્જી સૃષ્ટિ ને ફૂંક્યો પ્રાણ ઘમંડે ઘવાયો,
મોઘમ મનસુબા માંડે મદે ખુદ ખોવાયો!
અઘટિત આ અશ્રુ લૂછી લેતાં લોપાયો?
પાષાણે પૂજે,સજા સજીવે કરી થોપાયો.
અવિરત આલાપે રાગ-તાલે ન શોભાયો,
આશ-તૃષ્ણે ચણી મિનારે કદી થોભાયો?
— Ramnik Chauhan