દ્રષ્ટિકોણ
બદલાયે જો દ્રષ્ટિકોણ તો,
હર માનવ બદલાય શકે છે.
દ્વષ્ટિકોણ નાં પરીવર્તનથી,
અખિલ વિશ્વ બદલાય શકે છે.
બદલાય જો...
કાઈ અસંભવ નથી વિશ્વમાં.
જો નિશ્ર્ચય કરવામા આવે
સંકલ્પોનાં નવા જોમથી,
મક્કમ ડગ ભરવામાં આવે
શું મજાલ છે તુફાનો ની ?
તેની દિશા બદલાય શકે છે,
બદલાય જો ...
માનવનાં જો વિચાર બદલે,
ધરતી સ્વર્ગ સમી થઈ જાય
વિચારકાંન્તિ ઉન્મત ધારે
શગ દ્વેષ દુષણ ધોવાયે
સુયૉદય જો થાય જ્ઞાનનો,
ધોર નિશા બદલાય શકે છે.
બદલાય જો...
જયદેવ રાઠોડ