Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

👉ફિલ્મ રાજનીતિ અને ફિલ્મ👈

2019 ની લોકસભા ચૂંટણીના વાયરા ફૂંકાવવા લાગ્યા છે . ચર્ચા પણ ગરમ બનતી જાય છે . સોસીયલ મીડિયામાં વ્યંગ , હાસ્ય , રમૂજ , ચાટુકારિતાના મેસેજો ફરતા થયા છે અને જેતે પક્ષ કે વ્યક્તિના અંધઠેકેદારો પોતાના મનશ્વી પિતાની પૂજામાં લિંગ છે . અખબારો પણ પોતાના રંગ બતાવવા લાગ્યા છે અને ઈલોટ્રોનિક મીડિયામાં રોજ સાંજ થતા ગલીના બે ત્રણ મુરઘા ભેગા કરી લડાવવામાં આવો રહ્યા છે .

આ બધા ઘમાસાણ વચ્ચે ત્રણ ફિલ્મ રિલીઝ થઈ રહી છે . અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ફિલ્મ 2019ની લોકસભાની ચૂંટણીમાં મોટો ભાગ ભજવી જશે . ઉરી પર થયેલ હુમલો અને એના પછી કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઇકની વાહ વાહી સત્તાધારી પક્ષે ખૂબ લીધી છે . અને ઉત્તરપ્રદેશના નિર્વાચન સમયે એના મોટા મોટા હોલ્ડિંગ પણ લગાવવામાં આવ્યા હતા . આવતા મહિને એટલે કે જાન્યુઆરીમાં "ઉરી" ફિલ્મ રિલીઝ થાય છે . જેનો લાભ ભાજપને જાય . એવી વ્યૂહરચના ઘડવામાં આવશે .

એક સમય હતો જ્યારે બાલઠાકરેના એક ઈશારા પર પુરી મુંબઈ બંધ થઈ જતી હતી . જે મોરાજી ભાઈ ને ચેતવણી આપી હતી . બાબરી મસ્જિદ જેવા મુદ્દાનું ખુલ્લી ને સમર્થન કરનાર . હિન્દૂ હૃદય સમ્રાટ બાલા સાહેબના જીવન પર ફિલ્મ બની છે અને સંજય રાઉતે એ સ્ટોરી લખી એવું સામે આવ્યું છે ત્યારે આ ફિલ્મ ફરી હિન્દુત્વની એક લહેર 2019ની ચૂંટણીમાં લાવે તો નવાઈ નહિ .

અને ત્રીજી ફિલ્મ છે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ પર આધારિત છે . જેમાં તત્કાલીન સમયે સત્તાના બે ધ્રુવ હતા અને સોનિયા ગાંધી પૂર્વ પ્રધાનમંત્રી પર હાવી હતા . મનમોહનસિંહ પોતાને યોગ્ય માણસ પણ પોતાની ઓફિસમાં ભરી શકતા ન હતા . આ ફિલ્મ સંજય બારૂના પુસ્તક પર આધારિત છે . જેમાં મનમોહનસિંહની બેચેની અને પાર્ટીના હાકીમો તરફ નમતું વ્યક્તિત્વ બતાવવામાં આવ્યું છે એવું પહેલી નજરે ટ્રેલર જોતા ફલિત થાય છે .

આ ત્રણ ફિલ્મ કોંગ્રેસની પોટાઈ કરશે અને ભાજપને ફાયદો અપાવશે ત્યારે એનડીએના સાથી પક્ષ શિવસેના શુ કરે એ જોવું રહ્યું . પણ એટલું તો નક્કી થાય છે કે ભારતની હાલની રાજનીતિ જવાનોની બહાદુરીના નામે , તો કોઈ એક વિશાળ વ્યક્તિત્વના નામે ચરી ખાઈ છે . અને પ્રજા પણ વાહ વાહ કરવા લાગે છે .

ભવિષ્યમાં જોવું રહ્યું કે આ ફિલ્મ કેટલી આશા રાજકીય પક્ષ માટે જગાવે છે અને પ્રજા કેટલી મોહિત થઈ જાય છે . કોઈ એક ફિલ્મ કે નાટક તમારા એક મતને આપવા માટે કાફી નથી . સામે એ વ્યક્તિત્વ હોવું જોઈ નેતામાં કે પોતાના વર્તમાન કામ કરી સ્વામાન ભેર પોતાના ભાષણ આપે . આલોચના કરી ફક્ત સત્તા પામી શકાય છે લોકોના દિલમાં નથી વસી શકાતું .

✍️મનોજ સંતોકી માનસ✍️

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111634706
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now