*મન ની વાત લાગણી સાથે*
કહેત દુઃખની વાત કહેત દુઃખ જો,
પહાડ જેવડું હોત તો... .
કહેત દુઃખની વાત ઊંડાઈ સાથે,
માપવી આસાન હોત તો.. .
કહેત દુઃખની વાત આસમાનમાં,
તારા ગણી શકાય તેમ હોત તો!!.
કલરવ મીઠો લાગે, દુઃખમાં પણ,
પંખીની પાંખે ઉઝરડા જો થાય.
છાના મના છપ ગતિ કરે અહીં,
પારકા નહીં પોતાના દ્દુઃખ આપે.
નવે નવ ગ્રહની પીડા અનુભવું હું,
મનનાં ઉદ્વેગ આવેગની આ વાત.
યોગેશ વ્યાસ