કોરોનાને કારમી હાર આપવા
આ દેશ બચાવવા નીકળી પડ્યા
વંદન છે તમ સપૂતોને..(2)
એ કોરોનાની શું વિસાત છે
જ્યાં માણસ ખુદ ભગવાન બન્યા
વંદન છે તમ સપૂતોને..(2)
જનસેવાને સાચો ધર્મ માની
જરૂરિયતમંદોની વહારે આવ્યા
વંદન છે તમ સપૂતોને..(2)
ખાખી અસ્ત્ર, ઝાડુ શાસ્ત્ર;
સફેદ કોટે હજારો જીવ બચાવ્યા
વંદન છે તમ સપૂતોને..(2)
ખુદના જીવને મુઠ્ઠીમાં લઈને
દેશ માટે અનેક કષ્ટો સહ્યા
વંદન છે તમ સપૂતોને..(2)
અનેક પરિવાર બચાવવા કાજે
ખુદના પરિવારથી દૂર રહ્યા
વંદન છે તમ સપૂતોને..(2)
દેશપ્રેમની માત્ર વાતો નહિ
જે ખરા સમયે દેશ માટે લડ્યા
વંદન છે તેમ સપૂતોને..(2)
આપનો આભાર માનવા કાજે
આજે અમારા શબ્દો ખૂટ્યા
વંદન છે તમ સપૂતોને..(2)
-Parmar Jagruti