મેરુ તો ડગે પણ જેના મન નવ ડગે....
મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહી,
ભલે ભાંગી પડે ભરમાંડ રે,..
વિપત પડે પણ વણસે નહીં,
સોહી હરિજનનાં પરમાણ રે - મેરુ.
ચિત્તની વરતી સદા નિર્મળ રાખે ને,
કરે નહીં કોઈની આશ રે,...
દાન દેવે પણ રહેવે અજાચી ને,
રાખે વચનમાં વિશ્વાસ રે - મેરુ.
હરખ ને શોકની જેને આવે નહી હેડકી ને,
આઠે પહોર રહેવે આનંદ જી,
નિત્ય રહે સતસંગમાંને,
તોડી દીધાં માયા કેરાં ફંદ રે - મેરુ.
સંગત કરો તો તમે એવાની કરજો ને,
ભજનમાં રહેજો ભરપૂર રે,...
ગંગાસતી એમ બોલિયાં રે,
જેનાં નયણોમાં વરસે સાચાં નૂર રે.- મેરુ...