એક ક્ષણ કેટલાંક માટે ખુશી લાવે તો કેટલાંકને દર્દ આપે છે.અત્યારે આપણાં બધાં માટે જ અત્યારની ક્ષણ ખૂબ જ ડરવાની છે એમ કહીયે તો ચાલે.
હાલની પરિસ્થિતિ એટલી ભયાનક છે કે એક જ ક્ષણ માં આપણી સાથે શુ થશે એ કોઈને ખબર નથી.
થોડા દિવસ પહેલા જ મારી નજરની સામે એક એવી ઘટના બની જે જોઈને મારુ હ્દયદ્ધવી ઉઠ્યું અને બોલી ઉઠ્યું કે હે ભગવાન આ કેવી બીમારી છે જેને કારણે બધાં જ એકબીજાથી દુર થઈ રહ્યાં છે.પોતાની પાસે બધુ જ હોવાં છતાં પણ તેઓ લાચાર બની ગયા છે.
આજે વાત કરવા જઈ રહી છું એક એવાં પરિવારની જેમના ઘરે 6 સભ્યો રહે છે અને આ 6 સભ્યોમાંથી 5 સભ્યોને કોરોનાં પોઝેટીવ આવ્યો. વિચારો આ ક્ષણ એ પરિવાર માટે કેવી હશે?
હા મિત્રો આ ક્ષણ એ પરિવાર માટે ખૂબ જ ખૌફનાક હતી.એ પરિવારને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો એમને બીજા ઉપર આધાર રાખવો પડ્યો. પાછો મનમાં ડર કે જેને પણ કોઈ કામ કરવા કહીશું એ કરી આપશે કે નહીં.ઘરે વડીલ અને બાળકની તબિયત સારી રહેશે કે નહીં?
આ ક્ષણ આ પરિવાર માટે સાચે જ ખૂબ જ દર્દનાક હતી.
જ્યારે મને ખબર પડી કે એમને ત્યાં આવુ થયુ છે એ ક્ષણે જ મે એ બેનને ફોન કર્યો અને કહ્યુ તમને કાંઈ પણ જરૂર હોય તો મને કહેજો હુ મારાથી બનતું બધુ જ તમને કરી આપીશ.મે એમને માનસિક રીતે સાંત્વના આપી.
એ ક્ષણે એમને મારો દિલથી આભાર માન્યો.
મારાથી બનતી મદદ મે અને મારા હસબન્ડ બંનેએ કરી.
ત્યારપછી એમનાં ઘરે 3 4 દિવસ પછી એ બેનનાં નણંદ દેવલોક પામ્યા.ત્યારે સૌથી પહેલા એમને મને ફોન કર્યો અને આ ખબર મને આપી.
આ ક્ષણ મારા માટે પણ ખૂબ જ દુઃખદાયક હતી.કેમ કે એમનું ઘર મારા બાજુનાં જ બ્લોકમાં છે અને મારી બાલ્કનીમાંથી તેઓ મને રોજ દેખાય.એટલે એમનો ચહેરો મારી નજર સામેથી હતી જ ન તો રહ્યો.
આજે હમણાં લખતા લખતા પણ તેમનો ચહેરો મારી નજર સમક્ષ આવી ગયો.
વિચારો આ ક્ષણ એમનાં પરિવાર માટે કેવી રહી હશે?
રાજેશ્વરી