ક્યારેય અતિશય લાગણી રાખવી નહિ.
લઈને માપપટ્ટી ક્યારેય એને માપવી નહિ.
બધા કૈં મનથકી સમૃદ્ધ નથી હોતા કદી,
પાત્રતા વિના એ લાગણીને ઠાલવવી નહિ.
લાગણીશીલ સ્વભાવ એ દુઃખનું મૂળ છે,
કીમત એની સંસારી માપે મૂલવવી નહિ.
છે આ જગત ગણતરીને સ્વાર્થનો મેળો,
દુન્વયી તાપ આપી એને કદી તાપવી નહિ.
નથી હોતા બધા કાબેલ એને સમજવામાં,
ભૂલેચૂકે પણ ઠોકર મારીને સંતાપવી નહિ.
છે એ તો હૃદય સાથે જોડાયેલી બાબતને,
ઈશ્વર સિવાય કોઈની સન્મુખ ધરવી નહિ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.