પારસ :- અરે મેઘા કેમ આમ ઉદાસ બેઠી છો કાંઇ થયું છે?
મેઘા :- જો ને પારસ થાકી ગઈ છું હું લોકો નું સાંભળી ને. શું મારે બાળક નથી તો એમાં મારો વાંક છે. શું હું નથી જાણતી કે મે કેટલા પ્રયત્ન કર્યા છે. કોઈ દવા કે દુઆ બાકી નથી રાખી. હવે એમાં મારો શું વાંક છે?..
પારસ:- ના એમાં તારો વાંક નથી એ તો નસીબ ની વાત છે.પણ એમાં તું શું કામ દુઃખી થાય છે. લોકો તો કહે એ લોકો ની માનસિકતા જ એવી છે. આજે બાળક નથી એના માટે સંભળાવશે. કાલે જો સંતાન ના નામે દીકરી હશે તો દીકરા માટે સંભળાવશે. ને જો એ જ સંતાન મોટું થાય, કોઈ ખોટું કામ કરે તો પણ માં બાપ એ સંસ્કાર જ ખરાબ આપ્યા છે એમ કહેશે. પણ તું શું કામ લોકો નું સાંભળી ને માનસિક રીતે પીડાઈ છે. તું લોકો નું સાંભળી ને દુઃખી થાય છે તો એમાં તારો જ વાંક છે. એ તારો પ્રોબ્લેમ છે.તમને કોઈ બોલી ને પીડા આપે ને તમને પીડા થાય તો તમે જ મૂરખ છો કરણ કે તમે જ લોકો ને તમારા મગજ પર નો કંટ્રોલ ગુમાવવાનો હક્ક આપો છો કે લોકો જ તમારું મગજ ચલાવે છે. એના કરતાં સ્વયમ સાથે કનેક્ટ રહો.પોતાનું કર્મ કરતા રહો ભગવાન ને જે મંજૂર હશે તે કરશે. ભગવાન પર ભરોસો રાખો..Mn ❤️
#માનસિક