સત્ય,
અહિંસા,
ચોરી ન કરવી,
વનજોઇતું ન સંઘરવું,
બ્રહ્મચર્ય ને
જાતે મહેનત,
કોઈ અડે ન અભડાવવું,
અભય,
સ્વદેશી,
સ્વાદ ત્યાગ ને
સર્વ-ધર્મ સરખા ગણવા
આ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દ્રઢ આચરવા....
(ગાંધીજીએ આપેલ આ અગિયાર મહાવ્રત આજે પણ ગૂજરાત વિદ્યાપીઠની દરેક દીવાલો પર અને ત્યાંના દરેક વસવાટ કરનાર કર્મચારી, વિદ્યાર્થીઓ, સેવક મિત્રો બધાના હૃદયમાં કંડારાયેલ છે. ગાંધીજીને તેઓ મહાત્મા તરીકે નહિ પણ પોતાની વચ્ચે ઉછરી રહેલ એક આદર્શ તરીકે માને છે. ગાંધી જયંતિ નિમિતે સૌને મારા નમન.)
#મહાત્મા