હઝરત મુહમ્મદ પયગમ્બર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ નોકર ચાકર , મજૂર , અને કર્મચારીઓ સંબંધી ફરમાવે છે : તમારા નોકર ચાકરો તમારા ભાઈ છે જે માણસના ભાઈને અલ્લાહ તેના તાબા હેઠળ અને મોહતાજ બનાવે , તેનો માલિક બનાવે , તો તેણે પોતે જે ખાય તેવું જ એના નોકરને ખવડાવવું જોઈએ , અને પોતે જે પહેરે તેવું જ તેને પણ પહેરાવવું જોઈએ ! તેનાથી કોઈ એવું કામ ન લેવામાં આવે જે તેની શક્તિ બહાર હોય , જો તેનાથી એવું કોઈ કામ લેવાની જરૂર પડે તો પોતે પણ તેના કામમાં તેની મદદ કરે.
હદીસ શરીફમાં મજૂરની મજૂરી વહેલી તકે ઉતાવળે આપી દેવાની ઘણી તાકીદ પણ આવી છે.
મુહમ્મદ પયગમ્બર સલ્લલ્લાહુ અલયહે વસલ્લમ આ બાબતે ફરમાવે છે : તમો મજૂરની મજૂરી અને એનું મહેનતાણું એનો પરસેવો સુકાઈ જાય તે પહેલા આપી દેવો!