કાલે સરદાર ફીલ્મ અને પછી નેટ પર જોયું- ગાંધીજીને સરદાર હિન્દૂ તરફી લાગેલા અને તે પીએમ બને તો ઓલરેડી ભડકેલા મુસ્લિમો દૂર થઈ જાય. કોમ્યુનિસ્ટ ને પણ સાથે રાખવા ને એ રીતે સરકાર 'કામચલાઉ' ઉભી કરવા સરદારને પરાણે ડેપ્યુટી પીએમ બનાવ્યા. કામચલાઉ વ્યવસ્થા જ કાયમી બનાવી દેવાઈ.
બીજું ફિલ્મમાં બતાવ્યું કે ગોળી વાગ્યા પછી સરદાર ગાંધીની નાડ પકડી કહે છે કે એ હજુ ધીમી ચાલે છે. નહેરુ અને અમૂક લોકોએ ધ્યાન ન આપ્યું. ન પોસ્ટમોર્ટમ કર્યું ન હોસ્પિટલ લઈ ગયા.
અંતિમ સીનમાં હાર્ટએટેક રાજસ્થાનનાં જેસલમેર પાસેના રણમાં બતાવે છે. પ્લેન બગડતાં ત્યાં ઉતરાણ કર્યું અને રિપેરની વ્યવસ્થા થાય ત્યાં સુધી કાફલો નાચ જોતો બેઠો અને સરદારને ખાટલે સુતા એટેક આવતો બતાવ્યો. આખરે એ બોલે છે કે દેશ મને એક કરનાર તરીકે યાદ રાખશે.
એક સાથે 30 કરોડ લોકોની હિજરાતથી ઉભા થનાર પ્રશ્નો પર તેમણે રેડકલીફનું ધ્યાન દોરેલું. રેડકલીફ માત્ર 35 દિવસમાં કામ પૂરું કરવું પડે અને 15 ઓગસ્ટ પહેલા એ કરવા દબાણ છે કહી ક્યા એરીયા ભારત મને ક્યાં પાકિસ્તાનમાં એ રેન્ડમલી નક્કી કરી નાખ્યું. લાહોર માટે ખુદ માઉન્ટબેટન તે ભારત પાસે રહે તેમ ઇચ્છતા હતા પણ રેડકલીફ તેની વિરુદ્ધ ગયા. જિન્નાને તો જે મલ્યુ એ ઓછું. નહેરુએ પણ થાય એ થવા દીધું કેમ કે તેમને કોઈ પણ હિસાબે 15 ઓગસ્ટ પહેલાં દેશ વિભાજન જોઈતું હતું.
અંગ્રેજોએ તો હૈદ્રાબાદને પણ કાશ્મીર જેવું સ્પેશિયલ સ્ટેટસ સુચવેલું પણ આર્મીએ તે સર કરી લીધું. 5 દિવસની લડાઈને અંતે.
આજે ડીડી લોકસભા અને કાલે સરદાર પિક્ચર જોયું તેને આધારે.