કોઈના પર દયા કરો તો પોતાના સિવાય કોઈને પણ આ વાતની ખબર ન પડવી જોઈએ. જેનાં પર તમે દયા કરી છે એ ક્યાંક શરમમાં ન મૂકાઈ જાય.
પરંતુ આજ કાલ તો આ ફેશન બની ગઈ છે. કોઈને દયા કરવાનાં પણ ફોટા પાડી એને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવે છે. મારા મતે આ દયા નહીં દેખાડો છે. આનાથી માત્ર ચાપલુસી કરવાવાળા જ તમારા વખાણ કરશે બાકીના તો એમ જ કહેશે કે હોશિયારી મારે છે.
આવું કરવાથી હકીકતમાં તો આપણે એ વ્યક્તિને મદદ નથી કરતા, પણ મદદ કરીને એને શરમજનક સ્થિતિમાં મુકી દઈએ છીએ. એ વ્યક્તિ જેને જણાવવા ન માંગતી હોય કે મારે કોઈની મદદ લેવી પડી એવા લોકોને પણ ખબર પડી જાય છે અને એ વધારે દયાપાત્ર બની જાય છે. એને એ જ સમજ નથી પડતી કે આવી રીતે કોઈની દયા લેવા પાછળ એની શી મજબૂરી હતી.
#દયા