#રત્ન
ઘરમાં નૈશીને પહેલા ખોળે એક દિકરી તો હતી જ આથી સ્વાભાવિક રીતે જ મોટેરાઓની ઇચ્છા હતી કે નૈશીને હવે દિકરો આવે તો ઘરમાં ભાઈ બહેનની જોડી બને. નૈશીને પોતાને બે બહેનો હતી ભાઈ ન હતો પણ ત્રણેય બહેનો ખૂબ જ આનંદથી રહેતી. એમને ક્યારેય ભાઈની કમી અનુભવાઈ જ ન હતી. રક્ષાબંધન ના દિવસે પણ નહી. નૈશીના મમ્મી પપ્પાએ પણ પોતાની ત્રણેય દિકરીઓને ખૂબ સારું શિક્ષણ આપેલું અને પગભર બનાવેલી. આથી જ તો નૈશીના હધ્યમાં એક ખૂણે એવી ઇચ્છા હતી કે દિકરી આવે તો સારુ અને ખરેખર ભગવાને નૈશીની ઇચ્છા પૂરી કરી. નૈશીના ઘરે ફરી થી કન્યા રત્ન નો જન્મ થયો. નૈશીએ નામ પાડ્યું " પર્લ ".