Dt. 7.8.20 શુક્રવાર
* આજ નો મંત્ર*
આજે આપણા સૌ નું જીવન કોલાહલ થી ભરેલી જીવન શૈલી માં પસાર થઈ રહ્યુ છે. આપણે આપણી પોતાની સાથે વાતો કરવી છે. પરંતુ સમય નો અભાવ છે.
આપણે જાણી એ છે વાતો કરવા માં ટનબંધ ઉર્જા વપરાય છે. છતા મોબાઈલ ઉપર જરૂરી વાતો ઓછી અને બિન જરૂરી વધારે વાતો કરવી. (હા ચોક્કસ આત્મીય જન જોડે કયારેક આવી વાતો કરી દિલ નો ભાર હળવો કરી શકાય.) TV ના ઘોંઘાટ, સંગીત ના ડિસ્કો ના મોટા અવાજ , ટ્રાફિક માં હોર્ન ના અવાજો , મોબાઈલ ના રિંગ ટોન - આ બધા અવાજો ના કારણે સાંજ પડતા થકાન અને તણાવ અનુભવી એ છીએ.
આ બધા વાતાવરણ માં તાજગી પ્રાપ્ત કરવા દરરોજ માત્ર 15 મિનિટ મૌન વ્રત લો. એકાંત માં શાંતિ થી બેસી પોતાના મન સાથે હકારાત્મક વાતો કરો. સવારે ઉઠી ને કે રાત્રે સૂતી વખતે. આ શ્રેષ્ઠ સમય છે.
એકાંત માં કરેલ 15 મિનિટ ની મૌન સાધના થી શાંતિ, આનંદ અને અંદર થી ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે.
Silence is Prayer,
Prayer is faith,
Faith is Love,
Love is Service,
Fruit of Service is Peace
જય ગુરુદેવ.
જય શ્રી કૃષ્ણ.
શુભ પ્રભાત.
🙏🌹કલ્પેશ ત્રિવેદી 🙏🌹