ગીતા ૨-૧૧
(सांख्ययोग का विषय )
श्री भगवानुवाच
अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे।
गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः॥
કુષ્ણ બધું જાણે છે અર્જુન ક્યાંથી દલીલ રાખે છે.તે એમને પંડિત ની ઉપમા આપે છે અને કહે છે કે તું એવાં લોકો માટે શોક કરે છે જે તેને લાયક જ નથી.જન્મ અને મૃત્યુ એ માત્ર વિજ નો ચમકારો છે માટે જે મર્યા નથી કે જે જન્મ્યા જ નથી એનો વિચાર કરવો સારો નથી.પંડિતાઈ એ માત્ર શાસ્ત્રીય વિચારો નો વૈભવ છે, એ માત્ર જાણકારી છે જ્ઞાન નથી.જયારે અમેરીકા મા પહેલી વાર ગીતા પહોંચી ત્યારે ત્યાં નો મહાન વિચારક ગીતા ને માથે મુકીને આખાં શહેરમાં નાચ્યો હતો.ગીતા તો આમતો સાત પ્રકારની છે પણ આ જ ગીતા મા બધા શાસ્ત્રોનો, પુરાણો નો નિચોડ છે કારણકે બીજી બધી ગીતા માં આની જેમ યુદ્ધ ની વચ્ચે ગીતા કહેવાય નથી પણ એ પણ સત્ય છે કે આ ગીતામાં સત્ય ને મઠારવામા આવ્યું છે આખરી સત્ય સાથે તેને કંઈ લેવાદેવા નથી.સાચુ જોતા સત્ય અનુભવ ની વાત છે એ જો કહેવામાં આવે ત્યારે જ એ ખોટું બની જાય છે.