પોતાનો સ્વભાવ હંમેશા વિવેકી રાખો.
મુશ્કેલ પરિસ્થિતિ સજ્જન વ્યક્તિ ક્યારેય પોતાનો વિવેક નથી ગુમવતો.
સ્વભાવ હંમેશા એવો રાખવો જોઈએ જેનાથી અન્ય ને કોઈ પણ પ્રકાર નું નુકશાન ના થાય. જો તમે તમારો સ્વભાવ વધારે પડતો ઉગ્ર અને તામસી રાખશો તો એનાથી તમને નુકશાન સિવાય બીજુ કઈ પ્રાપ્ત ન થાય.
સુર્ય ના ઉદાહરણ દ્વારા સમજાવુ. સુર્ય જ્યારે ખૂબ જ ઉગ્ર બને છે ત્યારે એની સામે કોઈ જોઇ પણ શકતું નથી. એવું જ વ્યક્તિ મા પણ છે કે અતિ ઉગ્ર બનશો તો કોઈ તમારી સામે પણ ના જોશે. એટલે સ્વભાવ હંમેશા એવો રાખો જે ક્યારેય કોઈ ને કોઈ પણ પ્રકાર નુ નુકશાન ના પહોંચાડે.
રાજેશ્વરી
#વિવેકી