સંબંધિત
રહીસ ફિલ્મના આ બે ડાયલોગ..
શરૂઆત માં..
" अम्मी जान कहती थी कोई धंधा छोटा नहीं होता
धंधे से बड़ा कोई धर्म नहीं होता" ।
" मेरी जिंदगी का वसूल एक झटके में टूट गया
मैं धंधा करता हूं धर्म का धंधा नहीं करता। "
છેલ્લો ડાયલોગ...
આ ફિલ્મ તમામ ડાયલોગ અને ડાયલોગ ની રજૂઆત એકદમ અદભુત ખરેખર જોવાનું મન થાય..
આપણું જીવન પણ ધર્મ અને કરેલ કર્મ ને આધીન હોય છે. બાળપણથી આપેલ સંસ્કારથી બાળક કેળવાય છે અને તે સંસ્કાર ની અસર કિશોરાવસ્થામાં યુવાનીમાં જીવનના છેલ્લા પડાવ વૃદ્ધાવસ્થામાં થતી જોવા મળે છે. પ્રયત્ન એ કરવા જોઈએ કે આપણે સકારાત્મક વિચાર દ્વારા કરેલ દરેક સારા સારા કાર્ય નું ફળ દરેક અવસ્થામાં સારું જ મળે છે..
"વ્યક્તિ શ્રેષ્ઠ કર્મ કર્યા હોય તો તેનું ફળ શ્રેષ્ઠ મળે છે"
આપણે ભારત દેશના નાગરિક તરીકે મૂળભૂત હક અને ફરજો પાલન કરવું અનિવાર્ય છે.
આપણે દેશ સમાજ ની સેવા નિષ્પક્ષ ભાવનાથી માનવતાના વલણ દ્વારા કરવી જોઈએ. આપણા સમાજ કે દેશ ને નુકસાન કરે તેવી કોઈપણ કાર્ય કે પ્રવૃત્તિમાં આપણું યોગદાન ન હોવુ જોઈએ. સર્વ શ્રેષ્ઠ આપણો ધર્મ એ માનવતાનો છે ,માનવથી માનવતા થકી કોઈપણ સત્કાર્ય કરવું જે સમાજને દેશને ઉપયોગી નીવડી શકે..
સુનિલ કુમાર શાહ