દરેક વ્યક્તિમાં કોઇક ને કોઇક કળા તો હોય જ છે. કોઈ યોગ્ય ગુરુનો સાથ મળતાં જ આ કળા સોળે કળાએ ખીલી જતી હોય છે. માનવીમાં રહેલી કળા એનાં મિત્રો અને શિક્ષકો વધુ જલ્દી શોધી લેતા હોય છે અને એને આ દિશામાં આગળ વધવા પ્રોત્સાહન પણ આપતા જ હોય છે, પરન્તુ જો માનવી જીવન જીવવાની કળા શીખી જાય ને તો મને લાગે છે કે એણે બીજી કોઈ જ કળા શીખવાની જરૂર રહેતી નથી.
#કલા