ઘણી બધી વાર આપડે સમજતાં હોય તેવું હોતું નથી. અને કેટલીક બધી જાણ હોવાં છતાં કાંઇ કરતાં નથી કે કરી શકાતાં નથી.બધી વ્યક્તિ ઓ ને બીજી વ્યક્તિ ઓ પ્રતિ મનોભાવ અલગ અલગ પ્રકાર ના હોય છે. વાત રજુ કરવાની રીત કાંઇક જુદી જુદી હોય છે.વિચાર પણ જુદા જુદા પ્રકારના હોય છે. અને આપણાં સમાજ ની અંદર તેને સ્વીકારવા માં આવે છે. જેમ જેમ તેની મનોબળ શક્તિ પ્રમાણે આગળ વધી રહ્યાં છીએ.
કોઈ પણ વ્યક્તિ ને કાંઇક ને કાંઇક કામ મળી જ રહે છે. પણ આપણી વચ્ચે એવાં લોકો પણ છે જેમની કોઈ ગણતરી નથી કે નથી તેમને કોઈ કામ આપવા તૈયાર થતું. તેમની સાથે વાત કરી હોય તો એવી નજરે જોય કે કોઈ નું કતલ કરી નાખ્યું હોય જાણે. જયારે તેઓ લગ્ન પ્રસંગે પૈસા માંગવા આવે, રસ્તા પર પૈસા માંગે કોઇક આપે કોઈ નો આપે અને બીજા બધા તો તેમની સામે બધાં જોતાં રહે છે. પણ કયારે આપણે વિચાર આવે છે કે તમને ભુલ શું હોય છે. ઘણાં લોકો કહે કે એમનો આશિર્વાદ ખૂબ સારો હોય છે. અટલે ગરજ પ્રમાણે એમની પાસે જઇ આશિર્વાદ લઈ એ છીએ. તેનાંથી વિશેષ કાંઇ જ નહીં. એમનાં પર શું અસર થતી હશે તેમની ઉપર. આં વાત હતી એક માણસ જ ની જેમને આપણે માણસ પણ નથી કહેતાં...?.......કિન્રર