Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આચાર્ય ચાણક્યના કહેવા પ્રમાણે સમજદાર માણસ એ છે જે દરેક વિષય પરિસ્થિતિમાં પણ સહજ રહો, સામાન્ય રહે. પછી ગમે એવી સમસ્યા હોય તેનું નિરાકરણ આસાનીથી કાઢી શકે. ગમે એ પ્રકારની વિષમ પરિસ્થિતિને દૂર કરવાની ક્ષમતા જે વ્યક્તિમાં હોય છે તે સમજદાર હોય છે. જે વ્યક્તિ પરિસ્થિતિ અને સમયમાં છુપાયેલ સંકેતને સમજી લે છે તે જ સમજદાર છે.

જો કોઈ વ્યક્તિમાં અહીં બતાવેલ ગુણ ન હોય તો તેને શું કરવું જોઈએ? આ સંબંધમાં આચાર્ય ચાણક્યએ એક સટિક ઉપાય બતાવ્યો છે. ચાણક્યના કહેવા પ્રમાણે જે પ્રકારે કોઈ સાંપ ઝેરીલો ન હોય તો પણ તે પોતાને ઝેરીલો જ બતાવે છે. એ જ રીતે જો કોઈ વ્યક્તિ સમજદાર કે વિદ્વાન ન હોય તો પણ તેને બીજાની સામે સમજદાર બની રહેવું જોઈએ. એમાં જ તેની ભલાઈ છે.

ચાણક્યની આ વાત અલગ-અલગ પરિસ્થિતિઓમાં અલગ-અલગ રીતે પ્રભાવશાળી હોઈ શકે છે. જો કોઈ શક્તિશાળી ન હોય તો તેને પોતાને પણ ક્યારેય નિર્બળ સિદ્ધ ન થવા દેવી જોઈએ. નહીંતર શક્તિશાળી લોકો તેની ઉપર પોતાનો અધિકાર જમાવી લેશે. જો કોઈ વ્યક્તિ બીજાની સામે મૂર્ખ સિદ્ધ થઈ જાય તો તેને હંમેશા તિરસ્કાર અને અપમાન જ સહન કરવું પડશે. એવામાં યોગ્ય ઉપાય એ જ છે કે તે હંમેશા પોતાને સમજદાર જ બતાવે. એની સાથે જ તે પોતાના સ્તર ઉપર હાલતો અને પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરતો રહે. આ પ્રકારે તેને સમાજમાં અપમાનનું પાત્ર નહીં બનવું પડે. અને તે હંમેશા અન્ય લોકોની સામે આદરણીય બની રહેશે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111389707
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now