Gujarati Quote in Blog by Rachanaba Parmar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મહાભારતના યુદ્ધમાં પોતાના પિતા દ્રોણાચાર્યને દગાથી મારી નાખ્યાનું જાણી અશ્વત્થામા બહુ ક્રોધિત થઈ ગયો ને એને પાંડવ સેના પર ખતરનાક નારાયણ શસ્ત્ર છોડી દીધું જેનો કોઈપણ પ્રતિકાર કરી શકતું ન હતું.

અને જેની પાસે હથિયાર હોય ને લડવાની કોશિશ કરે એના પર અગ્નિ વરસાવી તરતજ નષ્ટ કરી દેતું હતું.

ભગવાન શ્રીકૃષ્ણએ સેનાને પોતપોતાનાં હથિયાર છોડી ચુપચાપ હાથ જોડી ઉભા રહેવાની સૂચના આપી અને કહ્યું મનમાં પણ યુદ્ધ કરવાનો વિચાર ન લાવતા આ એને પણ ઓળખી લઈ નષ્ટ કરીદે છે.

નારાયણ શસ્ત્ર ઘીમે ધીમે એનો સમય પૂરો થતાં શાંત પડી ગયુ.

દરેક જગ્યાએ લડાઇ સફળ ન થાય, પ્રકૃતિના પ્રકોપથી બચવા માટે આપણે પણ અમુક સમય માટે નિષ્ક્રિય થઇ, ચૂપચાપ હાથ જોડી મનમાં સારા વિચાર રાખી એક જગ્યાએ થોભી જવું જોઈએ.

કોરોના પણ એનો સમયગાળો પૂરો થતાં શાંત પડી જશે.


#નિષ્ક્રિય

Gujarati Blog by Rachanaba Parmar : 111379419
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now