Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏 गु रु दे व द त्त 🙏

દરેકના જીવનમાં ગુરુની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે માટે આપણા જીવનમાં ગુરુ હોવા ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો વિચારતા હોય છે કે જીવનમાં ગુરુ હોવા જ જોઇએ..? આના જવાબમાં હું એટલું જ કહીશ કે શરીરમાં કોઇ બીમારી આવે તો ડોક્ટર નિદાન કરીને દવા આપીને દૂર કરી શકે છે પણ મનના રોગ માટે કોઇ ગુરુ જ દવા આપી શકે છે. ગુરુ જ ઔષધિ આપીને ભવરોગને મિટાવી શકે છે.
જીવનમાં ગુરુને ઇષ્ટ કરતાં પણ વધારે માનો અથવા તો ગુરુને જ ઇષ્ટ માનો. રામચરિતમાનસમાં તુલસીજી કહે છે કે જનક મહારાજની સભામાં અનેક રાજાઓ આવ્યા હતા. એક પણ ધનુષ્યભંગ ન કરી શક્યા. અરે, રાવણ પણ થાકી ગયો. એનાથી પણ ધનુષભંગ ન થયો. કેવલ ભગવાન રામથી ધનુષ તૂટયું હતું એનું એક જ કારણ હતું કે રામે ગુરુને યાદ કર્યા હતા તથા રામની સાથે ગુરુ હાજર હતા, જ્યારે એકપણ રાજાએ ગુરુને યાદ કર્યા નહોતા અને સાથે પણ ન હતા. રામે ઇષ્ટને યાદ કરવાને બદલે ગુરુને યાદ કર્યા માટે ગુરુએ કાર્યને ઇષ્ટ બનાવ્યું તો આપણી અંદર અનેક પ્રકારના રોગ છે જે કેવળ ગુરુ જ દૂર કરી શકે છે. એ રોગને દૂર કરવા માટે આપણા જીવનમાં કોઇ બુદ્ધ પુરુષ હોવા જરૂરી છે. આપણા શાસ્ત્રમાં નવધા ભક્તિ છે એમાં પણ ગુરુનો મહિમા ગાયો છે.

पू. श्री. मोरारीबापू

💐👏 गुरुदेव दत्त

Gujarati Religious by બાબા સત્સંગી : 111364344
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now