Vastu Dosh In Your Home Then Effect All Family Member
તમારા ઘરની કોઈ દિશામાં વાસ્તુદોષ હશે, તો કુટુંબના કોઈ સભ્ય સુખી નહીં રહે!
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં વાસ્તુદોષ હોય તો તેની અસર ઘરમાં રહેતા સભ્યો ઉપર પડે છે, સાથે જ ઘરની અલગ-અલગ દિશાઓના વાસ્તુદોષની ખાસ અસર પરિવારના અલગ-અલગ સભ્યો ઉપર પડે છે. આજે અમે જણાવીશું ઘરની કઈ દિશા કોને અને કઈ રીતે પ્રભાવિત કરે છે. તે પહેલાં અમુક વાસ્તુદોષ વિશે જાણીએ જે આ પ્રમાણે છે:
ઉત્તર દિશામાં શૌચાલય હોવું વાસ્તુ દોષ માનવામાં આવે છે. ઈશાન ખૂણામાં (ઉત્તર-પૂર્વ) રસોડું, કચરાપેટી હોય તો વાસ્તુ દોષ ગણાય છે. પૂર્વ દિશાનો ભાગ ઊંચો હોય, ઘરની આ દિશા બંધ હોય અથવા ત્યાં શૌચાલય હોય તો તે વાસ્તુદોષ હોય છે. આગ્નેય ખૂણામાં (દક્ષિણ-પૂર્વ) ટોયલેટ-બાથરૂમ હોય તો વાસ્તુદોષ મનાય છે. ઘરની દક્ષિણ દિશામાં મુખ્ય દરવાજો હોવું વાસ્તુદોષ માનવામાં આવે છે. નેઋત્ય કોણમાં (પશ્ચિમ-દક્ષિણ) પાણીની ટાંકી, શૌચાલય હોય તો વાસ્તુદોષ મનાય છે. ઘરની પશ્ચિમ દિશામાં રસોડુ હોવું વાસ્તુ દોષ ગણાય છે. ઘરનો ઢાળ વાયવ્ય ખૂણામાં (પશ્ચિમ-ઉત્તર) નીચો હોય તે વાસ્તુદોષ માનવામાં આવે છે.
આ સિવાય પણ કેટલાક અન્ય વાસ્તુદોષ પણ હોય છે. સામાન્ય રીતે ઘરમાં ગંદકી રહેવી, જાળા હોય, ઘરમાં તુટેલી વસ્તુઓ રાખવી, ઘરમાં નકારાત્મક તસવીરો લગાવવી વગેરે વાસ્તુદોષ માનવામાં આવે છે.
ઘરની દક્ષિણ દિશામાં વાસ્તુદોષ હોયતો તેની અસર ઘરની મહિલા પર પડે છ્ ખાસ કરી ઘરની મુખ્ય મહિલા પર વધુ અસર પડે છે
વાયવ્ય કોણ ( પશ્ચિમ-ઉત્તર ) વાસ્તુદોષ હોય હોંસ તો ખરાબ અસર મહિલા અને ત્રીજી સં તાન પર પડે છે હોય એને વાહલા મિત્ર
ઉત્તર દિશામાં વાસ્તુદોષ હોય તે ઘરની મહિલાઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે પરિવારની આવક પર પણ તેની અસર પડે છે
ઈશાન ખુણામા (ઉત્તર-પુર્વ) વાસ્તુદોષ હોય તો ઘરની મુખ્ય વ્યક્તિ સહિત બધા પુરુષો પર ખાસ કરી મોટા પુત્ર પર ખાસ અસર થાય છે
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની પુર્વ દિશામાં મા વાસ્તુદોષ હોયતો સંતાન બિમાર રહે છે